Wednesday 9 May 2018


રાષ્ટ્ર-ધર્મ

-  ભગિની નિવેદિતા

ભારતવર્ષ પોતાની સંસ્કૃતિનું નવવિકાસ કરી રહ્યું છે. “જૂના પાયા પર નવું નિર્માણ” કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભારતીય ક્ષિતિજ પર નવિન આદર્શ, નવવિચાર અને કાર્યપદ્ધતિનો ઉદય થઈ રહ્યો છે. વિવિધતમ રીતિઓથી નવનવીન કાર્યક્ષેત્રોમાં પ્રગતિ કરવા માટે ભારત કટિબદ્ધ થઈ રહ્યું છે. આ પ્રકારના નવનિર્માણના યુગમાં નૈતિક સ્થિરતાનો ભંગ થવાની સંભાવના રહે છે. નૈતિક-શક્તિની પરમસત્તાને પ્રસ્થાપિત કરવી એ આ સંસ્કૃતિનો હંમેશા ઉદ્દેશ્ય અને પ્રયાસ રહ્યો છે. અને જ્યારે પ્રચંડ સંક્રમણનો, ક્રાંતિનો અવસર આવે, મોટી-મોટી ઘટનાઓ બને ઉથલ-પાથલ થાય, સમગ્ર સમાજ નીચેથી ઉપર સુધી આંદોલિત થઇ જાય છે, ત્યારે બધા જૂના બંધનો, જૂની સંસ્થાઓ, જૂના આચાર-વિચાર અને રૂઢિઓને તોડી મરોડીને ફેંકી દેવાની પ્રવૃત્તિ બળ પકડે છે, કારણ કે આ વાતાવરણના ફળ-સ્વરૂપ નૈતિકતા પ્રબળ બને છે, સમાજના બધા ભગ્નાવશેષ સપાટી પર તરવા લાગે છે. જૂના ઉપકરણો ત્યાગીને નવા લાવવાના પ્રયાસો થતા હોય છે. જે પ્રકારે પ્રાચીન સમયમાં અત્યાચારી રાજાના શરીરનું મંથન કરીને એમની ભુજાઓમાંથી પૃથુને પ્રકટ કરેલા, જેનાથી પ્રજાને વત્સ બનાવી પ્રજાનું દોહન કરેલ અર્થાત્ અભૂતપૂર્વ પ્રગતિ કરેલી. પશ્ચિમનો ‘સંસ્કૃતિ’ શબ્દ આપણે અહિંયા ‘ધર્મ’ નો પર્યાયવાચી છે. જ્યારે ઉદાત્ત ચારિત્ર્ય, નિષ્કંલક નૈતિકતાને જ રાષ્ટ્રના સામાજિક અથવા રાજનૈતિક કાર્યોની ચાવી સમજવામાં આવે, નાસ્તિક, અશ્રદ્ધાળું તથા દંભી મનુષ્યનું સાચું મૂલ્ય સંગણિત કરીને એમને સમાજ દૂધમાંથી માખીની જેમ કાઢીને ફેકી દે અને સમાજની ઈચ્છા શક્તિ નિરંતર અસત્યનો ત્યાગ કરીને સત્ય-ભગવાનની ઉપાસના, ‘સત્યં શિવમ સુન્દરમ્’ ની આરાધના માટે પ્રવૃત્ત થાય ત્યારે રાષ્ટ્રએ પોતાના અતિતના ભૂતકાળની મહિમાને પ્રસ્થાપિત કરી એવું માનવામાં આવશે.

કોઈપણ રાષ્ટ્ર એવી બડાઈ ન મારી શકે કે તેણે ઉપયુક્ત બધા જ લક્ષણોને પૂર્ણત: પ્રગટ કરી લીધા છે. આ તો એવી સ્પર્ધા છે જેમાં યશ માત્ર સાપેક્ષપણે જ માપી શકાય છે. તોપણ નિર્વિવાદ તથ્ય છે જે સામાજિક તેમજ રાષ્ટ્રીય ગતિવિધિયોનું મૂલ્યાંકન જો કોઈ નિરપેક્ષ માનક બને તો તે નૈતિકતાનું માપ બની શકે છે. કોઈપણ રાષ્ટ્રની શ્રેષ્ઠતાનું અનુમાન સંપત્તિ, ધન-વૈભવ, ઉદ્યોગ તથા મોટા-મોટા પ્રકલ્પોના આધારે નહિં, પરંતુ રાષ્ટ્રના નૈતિક સ્તરના આધાર પર જ થઈ શકે છે.
અહી જે નૈતિકતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ માત્ર સામાજિક પ્રથાની નૈતિકતા નથી. કોઈ જીર્ણશીર્ણ નિયમ કે રૂઢિને ટકાવી રાખવી એ કોઈ પ્રશંસાની વાત નથી. તે આપણી દૂર્બળતા પણ હોય શકે છે. સાચી નૈતિકતા ઈચ્છા-શક્તિ, પાવિત્ર્ય, ચરિત્ર, ત્યાગની અગ્નિ છે. કોઈ રાષ્ટ્રની કમાણીનું મૂલ્યાંકન આ સદગુણ ચતુષ્ય્યથી નિર્ધારિત થાય છે, ન કે માત્ર એમની બાહ્ય ચમક-દમક અને દંભથી. તો પણ અમુક વાતો તો સ્પષ્ટ છે, જે દેશોમાં લાંબા સમય સુધી ત્યાગના દર્શનનો, સંન્યાસ ધર્મનો ઉપદેશ કર્યો હોય, નિર્ધન-નિરાધારોને, નિરહંકારિતાને ભાઈચારાના, સાર્વજનિક સંપત્તિના તત્વજ્ઞાનનું પ્રતિપાદન કર્યું હોય, તે દેશ જ એકાએક બીજાના રાજનૈતિક વ્યાવસાયિક અથવા આર્થિક અથવા ત્રણેય પ્રકારે એક સાથે શોષણ કરતા દેખાય ત્યારે, આચાર અને વિચારના આ વિષવાદની આલોચના કરી નિર્ણય પ્રકટ કરવો ઉચિત અને અનિવાર્ય બની જાય છે.
જીવનમાં જ્યારે મોહ અને પ્રલોભનની ક્ષણ આવે છે ત્યારે આ રિપુગણોના આક્રમણોથી બચવા માટે તર્ક સંગત તથા સત્ય સિદ્ધાંત કે નીતિતત્વ માત્ર પર્યાપ્ત શસ્ત્ર નથી. તત્વની સત્યાસત્યતા ઉપરાંત, વધારે મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે મનુષ્યની પ્રકૃતિ એ તત્વથી કેટલી સંયુક્ત થઈ છે, તત્વ તેમના જીવનમાં કેટલું ઉતર્યું છે, એ તત્વ પ્રત્યે મનુષ્યનો આંતરિક અનુરાગ કેટલો છે, તેણે કેટલું આત્મસાત કર્યું છે. ધર્મ જો રાષ્ટ્રના રોમ-રોમમાં ભર્યો ન હોય, લોહીમાં એકરસ ન થયો હોય તો સમય આવ્યે સ્વહિત માટે તે ધર્મને છોડી શકે છે. આ જ ધર્મનો પરાજય છે. ઈતિહાસની પ્રગતિને અવરોધતું દુર્ભાગ્યપૂર્ણ અવરોધક છે.
આ અવસર પર વિવિધ ધર્મોની પ્રજ્ઞા અથવા બુદ્ધિની પરિસીમાનો પ્રશ્ન ઊભો થાય છે. સ્પષ્ટત: ધર્મમત તથા નીતિશાસ્ત્રની તે આચાર સંહિતા, જેને આપણી સમગ્ર પ્રજ્ઞા આનાકાની કર્યા વગર સ્વીકારે, આપણી બુદ્ધિને જે ઠીક લાગે, તે જ આચાર-ધર્મ આપણને નિયંત્રણ, સંયમમાં રાખીને આપણને મોહ અને પ્રલોભનથી બચાવી શકે છે. આનાથી વિરુદ્ધ જે ધર્મ આચાર-સંહિતા આપણને દાદીમાની કથાઓની સમાન અવિશ્વનીય અને અલૌકિક લાગે તે આપણા આચાર-વિચારોનું નિયમન ક્યારેય કરી શકશે નહિ. ઈસાઈ ધર્મમત આ બૈદ્ધિક વ્યાખ્યા પર ટકી ન શક્યું, આમા જ ઓગણીસમી સદીમાં તેના હ્રાસનું રહસ્ય છે. વિજ્ઞાને વિવિધ પ્રકારના યાંત્રિક સંશોધનો દ્વારા ઈસાઈ રાષ્ટ્રોની સામે એક અભિનવ સંસારનું નિર્માણ તો કરી દીધું, પરંતુ તે જ વિજ્ઞાનની શિક્ષાએ જે બુદ્ધિ પ્રાભાષ્ય ઉત્પન્ન કર્યું જેના કારણે ઈસાઈ-ધર્મ-મત, જે થોડા સમય પહેલા વિશ્વ માટે એક માર્ગદર્શક તથા ઉન્નતકારી બળ હતું. હવે એક અવૈજ્ઞાનિક, ભ્રામક ધારણાઓનો ઢગ માત્ર બનીને તિરસ્કૃત થઈ ગયુ  છે. પરિણામ સ્વરૂપ ભૂતકાળમાં ઈસાઈ સમાજને ઈસાઈ ધર્મગ્રંથ, ઉપાસના વગેરેના માધ્યમથી જે આચારના સંસ્કાર મળ્યા હતા, તેનાથી આધુનિક ઈસાઈ વંચિત થઈ ગયા. આ પ્રકારે ઈસાઈ ધર્મથી ચ્યુત ઈસાઈનું સમસ્ત સંસારને લૂંટવાવાળો સશસ્ત્ર ડાકુ બનાવવાનું સ્વાભાવિક જ છે.
ઈસાઈ ધર્મ-મત વિજ્ઞાનને સમાવિષ્ટ ન કરી પચાવી ન શક્યું. શું હિન્દુધર્મ અર્વાચિન સત્યતાને આત્મસાત્ કરવાની ક્ષમતા રાખે છે ? આપણે વિશ્વાસપૂર્વક કહીએ છીએ કે હા.. ક્ષમતા રાખે છે. કારણ - હિન્દુધર્મની વિવિધ પ્રથાઓ રૂઢિઓ અને આચારોની પાછળ વેદાન્તના સાર્વભૌમ દર્શનનો હિમાલય ઊભો છે. આ દર્શન માટે ધાર્મિક સંસ્કાર અથવા અનુષ્ઠાન, સામાજિક તંત્ર, વૈજ્ઞાનિક શોધ-ખોળ અથવા કોઈપણ નવ-વિચાર સમાનરૂપથી પ્રયોગાર્થ ગ્રાહ્ય હશે અને આ વેદાન્તમાં પણ શંકરાચાર્યનું અદ્વૈત દર્શન, હિમાલયના અનેક શિખરોમાંથી ઉપર ઊઠીને ચમકતું ગૌરી-શંકર સમાન સંસારમાં સર્વોચ્ય છે.
હવે આપણે એક શ્રેષ્ઠ લૌકિક જીવન પ્રકટ કરવા જઈ રહ્યા છીએ. ભવિષ્યમાં હિન્દુધર્મના એક નવ-વિકસિત રૂપને લઈને હિન્દુરાષ્ટ્ર ઊભું થશે. સનાતની અને આર્ય સમાજ કર્મકાંડોની પાછળ પડવાની અપેક્ષાએ આપણે સાંઘીક, સામુદાયિક જીવનના પાઠ ગ્રહણ કરીએ. વિવિધ પૂજા-વિધિઓ અને સંગઠનની ઉપાસના માટે કટિબધ્ધ થઈએ. “નવીન પર્વ કે લિયે, નવીન પ્રાણ ચાહિએ” નવયુગ માટે નવા જીવનવ્રત આધાર હલી જશે? ક્યારેય નહીં! શું આ નવીન વ્રત, નવી દીક્ષા ! શું  આ નવીન વ્રતો  તથા નવીન આદર્શોના કારણે હિન્દુધર્મનો આધાર હલી જશે? ક્યારેય નહીં! સહસ્ત્રો  વર્ષો પૂર્વે ઋષિયોએ ઘોષણા કરી હતી કે “एकं सत विप्रा बहुधा वदन्ति” અર્થાત્ મૂળ સત્ તત્વ એક જ છે, પ્રબુદ્ધ લોકો તેને વિવિધ નામોથી સંબોધિત કરે છે.
સાંજે કોઈ મંદિરમાં જઈને ડંકા વગાડવાની જગ્યાએ જો આપણે કોઈ મેદાનમાં એકત્રિત થઈને ભારતમાતાની પ્રાર્થના અનેે રાષ્ટ્ર-ચિંતન કરીએ તો શું આપત્તિ છે. યજ્ઞકુંડ અને હોમ-હવનશાળાની જગ્યાએ વિશ્વવિદ્યાલય, પ્રયોગશાળા અને કારખાનાઓ બનાવીયે, ભૂદેવો-બ્રાહ્મણોના સેવક બનવાની જગ્યાએ ભારતમાતાના કાર્યકર્તા કહેવાઈએ. મંદિર અથવા પૂજાગૃહોમાં કલાકો સુધી નાક પકડીને અને માળા જપતા બેસી રહેવાની જગ્યાએ સમાજના અભાવગ્રસ્ત લોકોની પાસે જઈને એમને ભોજન, શિક્ષા, ચિકિત્સા વગેરે સુવિધા ઉપલબ્ધ કરાવીએ. ‘सर्व खल्विदं ब्रह्म’ જો સત્ય હોય તો બધા માર્ગ એક જ પરમાત્માની તરફ લઈ જશે. आकाशात्पतिंत तोयं यथा गच्छति सागरम् | सर्वदेव नमस्कारं केशवं प्रतिगच्छति | જે પ્રકારે આકાશથી પડતું જળ અન્તત: સમુદ્રમાં જ જાય છે. એવી જ રીતે કોઈપણ દેવતાને સમર્પિત પ્રણામ, પરમાત્માને જ પહોચેં છે. ધ્યેય માટે જીવનભર સંઘર્ષ કરવો નિત્ય પ્રાર્થનાની સમાન જ શ્રેષ્ઠ ઉપાસના છે. શ્રમના કારણે નિકળતા પરસેવાના બિંદુ ગંગાજળની સમાન જ પવિત્ર અને પૂજ્ય છે. ઉપવાસ-વ્રતની જગ્યાએ અખંડ સ્વાધ્યાય વ્રત વધારે મૂલ્યવાન છે. પરસ્પર સેવા, સહકાર્ય, બંધુત્વભાવ જ સર્વશ્રેષ્ઠ પૂજા છે. કાર્યમાં તલ્લીનતા, એકાગ્રતા જ સાધન છે અને પરમાત્મત્વ અદ્વૈત જ સાધ્ય છે.
રાષ્ટ્રની વિપત્તિઓના આ પ્રહરમાં કાર્ય કરવા માટે  પ્રસ્તુત આપણા કાર્યકર્તાઓને જોઈએ કે આપણું સેવાનું અસ્ત્ર સદા સિદ્ધ રાખીએ, સેવાકાર્ય, પરિશ્રમ કરતાં સમયે શરીર, મન, બુદ્ધિનું સામજસ્ય થાય, સ્નાયુઓ અને પેશિયો મજબૂત બને છે. આપણી સમગ્ર શક્તિઓને કાર્ય પર કેન્દ્રિત કરીએ. સ્વયં સ્વીકૃત કાર્યનું જ રાત-દિવસ ચિંતન કરીએ નિષ્કલંક ચરિત્ર જ આપણું માર્ગદર્શક હોય અને નિર્દોષ સેવા જ આપણું લક્ષ્ય, આપણું સ્વપ્ન આ પ્રકારે જો આપણે સેવા કરીએ તો ચોક્કસપણે જ એક દિવસ આપણા અન્ત:કરણમાં જ્ઞાન-પ્રભાનો ઉદય થશે અને ભારતમાતાના સત્પુત્રોની માળામાં આ નવયુગ કર્મવીર કાર્યકર્તા, ગૃહસ્થ, સન્યાસીઓ અને સમાજ સેવાના વીર-વ્રતિઓના રૂપમાં અનેક મોતીઓ પરોવતા જશે.
                          - સૌજન્ય : પથ ઔર પાથેય

No comments:

Post a Comment