Wednesday 9 May 2018

સ્વામી વિવેકાનંદ ભારત પુનરાગમન

કલકત્તાનો છોકરો - 2


- મા. નિવેદિતાદીદી


"આ પવિત્ર ભૂમિના પર્વતશિખરો પર, તેની ગુફાઓના ઊંડાણમાં અને તેના પ્રચંડ વેગવાન જળસ્ત્રોતોના તટ પર જ સૌથી અદભુત વિચારોનો જન્મ થયો છે, જેના એક નાનકડા અંશની પણ વિદેશીઓએ આટલી પ્રશંસા કરી છે, અને જેને સર્વશ્રેષ્ઠ વિચારકોએ પણ અતુલનીય ગણાવ્યા છે. આ જ એ ભૂમિ છે, જ્યાં મારું જીવન વ્યતિત કરવાનું  સ્વપ્ન હું બાણપણથી જોતો હતો, અને જેમ આપ સૌ જાણો છો, મે વારંવાર અહીં રહેવાનો પ્રયાસ કર્યો છે. જોકે તેના માટેનો યોગ્ય સમય નહોતો તથા મારે મારું કાર્ય પૂર્ણ કરવાનું હતું. જેથી આ પવિત્ર સ્થાનથી મારે દૂર રહેવું પડ્યું, તેમ છતાં પણ, મને આશા છે કે મારા જીવનના અંતિમ દિવસો હું આ મહાન પર્વતના ખોળામાં વિતાવિશ કે જ્યાં ઋષિઓનો નિવાસ હતો, જ્યાં દર્શન શાસ્ત્રોનો જન્મ થયો હતો, મારા મિત્રો, મેં જે વિચાર્યું હતું, કે અહીં મને એ મૌન, એ અજ્ઞાતવાસ મળે, પરંતુ કદાચ એ શક્ય નહીં બને. તો પણ, હું હ્રદયથી પ્રાર્થના કરું છું અને લગભગ મારો એ વિશ્વાસ છે કે મારા અંતિમ દિવસો આ જ સ્થળે વિતશે."
પરંતુ અલ્મોડા, એ સ્થાન જેને સ્વામી વિવેકાનંદ પોતાનું અંતિમ ગંતવ્ય માનતા હતા-માં પણ ફરીથી તેમણે પોતાના સંદેશને જ કેન્દ્રમાં રાખ્યો કે આ ધરતીએ અને આપણા સનાતન ધર્મએ જ વિશ્વનું માર્ગદર્શન કરવાનું છે, તેઓ આગળ કહે છે-“ પવિત્ર ભૂમિના નિવાસીઓ, મારા દ્વારા પશ્ચિમ જગતમાં જે થોડું પણ કાર્ય થયું છે, તેના માટે આપના તરફથી મળેલ પ્રશંસા માટે મારા પ્રણામ. પરંતુ સાથોસાથ મારું મન એ વિશે વાત કરવા નથી ઈચ્છતું, ન પૂર્વની કે ન પશ્ચિમની. જેમ-જેમ આ પર્વતરાજના એક-એક શિખર મારી નજર સામે આવવા લાગ્યાં, તો મને અનુભવ થયો કે આટલા વર્ષોથી કાર્ય પ્રત્યેનો જે ઝુકાવ હતો, મારા મનમાં જે ઉથલ-પાથલ ચાલતી હતી,  એ શાંત થઈ ગઈ અને જે કામ થઈ ગયું છે અથવા તો બાકી છે, તેના વિશે વાત કરવાના બદલે મારું મન એ દિવ્ય વિષય તરફ વળ્યું જે હિમાલય આપણને સદૈવ શીખવે છે, એ એક જ વિષય જે આ સમસ્ત પરિવેશમાં ગુંજી રહ્યો છે. એ વિષય જેનો સ્વર હું આ નદીઓના પ્રવાહમાં અત્યારે પણ સાંભળી શકું છું- મોક્ષ! આ સંપૂર્ણ જીવન ભયથી ભરેલું છે, માત્ર મોક્ષ જ આપણને નિર્ભય બનાવે છે. હા, આ જ તો મોક્ષ ભૂમિ છે.
સમય મને આજ્ઞા નહીં આપે, ને આ અવસર પણ. યોગ્ય નથી કે વિષય પર સારી રીતે વાત કરી શકું. એટલા માટે મારે કહેવા સાથે વાત પૂરી કરવી પડશે કે હિમાલય મોક્ષનું પ્રતીક છે, અને આપણે માનવતાને જે મહાન શિક્ષણ આપી શકીએ છીએ, તે મોક્ષનું શિક્ષણ જ છે. જેમ આપણાં પૂર્વજો જીવનના ઉતરાર્ધમાં હિમાલય તરફ આકર્ષિત થતા હતા એજ રીતે પૃથ્વીના બધા ભાગોમાંથી મહાન આત્માઓ આ પર્વતરાજ તરફ આકર્ષિત થશે, પરંતુ એ ત્યારે જ શક્ય બનશે જ્યારે વિભિન્ન સમુદાયો વચ્ચે થઈ રહેલા સંઘર્ષો ને મતભેદો ભૂલાવી દેવામાં આવશે, જ્યારે મારા સંપ્રદાય અને તમારા સંપ્રદાય વચ્ચેના વિવાદને સંપૂર્ણપણે મિટાવી દેવામાં આવશે, જ્યારે માનવતા એ સમજી લેશે કે પરમ ધર્મ માત્ર એક જ છે, અને એ છે પ્રત્યેક જીવમાં ઈશ્વરનો નિવાસ અને બાકીનું સઘળું માત્ર માયા. આવા ઉત્સાહી જીવો અહીં આવશે, જેઓ જાણતા હશે કે આ માત્ર નશ્વરતાથી ભરેલું નશ્વર વિશ્વ છે જેઓ જાણતા હશે કે ઇશ્વરની આરાધના સિવાય બાકીનું બધું નિરર્થક છે.
મિત્રો, એ તમારૂ દયાળુંપણું છે કે તમે હિમાલયમાં એક કેન્દ્રની સ્થાપનાના મારા વિચારનો ઉલ્લેખ કર્યો છે, અને શક્ય રીતે મેં એ સ્પષ્ટતા પણ કરી દીધી છે કે આવું શા માટે થવું જોઈએ, અને સૌથી વિશેષ તો એ વાત કે શા માટે હું વિશ્વ ધર્મનું શિક્ષણ આપનારા મહાન કેન્દ્રમાંના એક તરીકે આ સ્થાનની પસંદગી કરવા ઈચ્છું છું. આપણી જાતિની સર્વશ્રેષ્ઠ સ્મૃતિઓ આ પર્વતો સાથે જોડાયેલી છે. જો આ હિમાલયને ધાર્મિક ભારતના ઈતિહાસમાંથી હટાવી લેવામાં આવે, તો કદાચ તેમાં કંઈ જ બાકી રહેશે નહીં. માટે એક કેન્દ્ર અહીં હોવું જોઈએ. પરંતુ માત્ર પ્રવૃત્તિ માટે નહીં, પરંતુ તેના કરતા પણ આગળ, શાંતિ માટે, ધ્યાન માટે, મૌન માટે, અને મને આશા છે કે એક દિવસ તે જરૂર બનશે. હું એ પણ આશા રાખું છું કે આપ સૌને ફરીથી મળીશ અને ત્યારે ઘણી વાતો કરી શકીશ. આજ માટે હું ફરી એક વાર આપ સૌની કૃપા માટે આભાર માનું છું, અને હું તેને માત્ર એક વ્યક્તિ પ્રત્યે નહીં પરંતુ પોતાના ધર્મના એક પ્રતિનિધિ પ્રત્યે દર્શાવેલા કૃપાના રૂપમાં જોઉં છું. એ સદૈવ આપણા હ્રદયોમાં રહે, આપણે સૌ આટલા જ પવિત્ર બની રહીએ, જેટલા આપણે આ ક્ષણે છીએ. તથા આધ્યાત્મિકતા પ્રત્યે આપણા મનમાં એવો જ ઉત્સાહ રહે જેવા અત્યારે છે."
સ્વામી વિવેકાનંદના ભાષણો ને સંદેશનું આ પ્રકરણ પ્રેરણારૂપ છે કે કેવી રીતે એક વ્યક્તિએ ગમે તેવી પરિસ્થિતિઓમાં પણ પોતાના ધ્યેય તરફ ધ્યાન કેન્દ્રિત કરી રાખવું જોઈએ. અહિ આપણને એ શીખ પણ મળે છે કે લોકોને પોતાના નિશ્ર્ચિંત માર્ગ પર પ્રેરિત કરવા માટે તેની સાથે કેવા પ્રકારે સંવાદ સાધવો જોઈએ, આત્મવિલોપનની શીખ પણ આપે છે, જ્યાં પોતાનો ઉલ્લેખ ‘કલકત્તાના અલ્હડ છોકરા’ તરીકે થાય છે, અને તે એ વાતની શીખ પણ આપે છે કે પોતાનું ઉત્તરદાયિત્વ પૂર્ણ કરતી વેળાએ પણ વ્યક્તિએ તે ભૂલવું જોઈએ નહીં કે તે સર્વવ્યાપી છે.


No comments:

Post a Comment